કોઈના પ્રત્યેનો આપણો વ્યવહાર કેવો છે એના પરથી નક્કી થતું હોય છે કે આપણું ચારિત્ર્ય કેવું છે! કોઈના પર આપણું પ્રભુત્વ બે રીતે જમાવી શકાય.જેમાં એકમાં બીજા સાથે શાંતિ, સમજણ પૂર્વક અને બુધ્ધિના કુનેહ પૂર્વક ઉપયોગથી કોઈના મનને જીતી શકાય.જેમાં સામેવાળી વ્યક્તિની આપણી તરફની દ્રષ્ટિ પણ આપણા વ્યવહાર જેવી એટલે કે શાંતિપ્રિય હોય છે. આપણો એના પરનો પ્રભાવ Positive પડે છે. આપણા પ્રત્યેની એને લાગણી વધે છે. જ્યારે બીજી તરફ કોઈને ડરાવી, ધમકાવીને પોતાના ખોફ બતાવીને પોતાનું વર્ચસ્વ એટલે કે પ્રભુત્વ અજમાવી શકાય. પણ એના પરિણામ સ્વરૂપે મળવાનુ પણ શું? બીજાની આપણી પ્રત્યે ઘૃણા,તિરસ્કાર, અવગણના, જેમાં આપણી પ્રત્યેની સવેંદના હણાય જાય છે. આપણા પ્રત્યેનો આદર ભાવ, માન સમ્માન જતો રે છે. એ રીતે આપણા પ્રત્યેની Negetive Effect ફેલાય છે. અને સૌથી અગત્યની બાબત એ છે કે સામેવાળી વ્યક્તિનું સ્વમાન ન ઘવાય એ ખાસ ધ્યાન રાખવાનું હોય છે.કોઈ પણ વ્યક્તિને પોતાનું કૈંક તો સ્વમાન હોય છે Even એ વ્યક્તિ જે મજૂરી કરીને ગુજરાન ચલાવે છે એને પણ સ્વમાન હોય છે. કોઈના સ્વમાનનો પ્રશ્ન આવે એટલે સામે તમે ગમે તેવી ડિગ્રી લઈને બેઠા હોય તો પણ તમારી કિંમત એ માણસ માટે ઘટી જાય છે. તો કોઈના પર positive effect પાડવી કે Negetive એ આપણા હાથની વાત છે દોસ્ત....!
-'હાર્દ' ડાંગોદરા
No comments:
Post a Comment